Monday, May 7, 2007

ગુજરાતનો નાથ Book review.......

ગુજરાતનો નાથ

ઇતિહાસની આસપાસ વણાયેલ એક નવલકથા છે. પહેલુ પ્રકાશન ૧૯૧૭મા. (મારા દાદા પણ કદાચ નહોતા જન્મયા )

મંજરી અને કિર્તિદેવ બે કલ્પનિક પત્રો છે. બાકી મુંજાલ-મીનળ, કાક, જયદેવ સોલંકી, રા'ખેંગાર- રાણક, ત્રિભુવનપાળ - કાશ્મીરા વગેરે ઐતિહાસિક પાત્રોની, ઐતિહાસિક પ્રસંગની વાર્તા છે.

પહેલુ પાનુ વાંચો પછી છેલ્લા પાના સુધી વાંચયા પહેલા ચોપડી નીચે મુકવાની ઇચ્છા નહી થાય.
કથાકારે શરુથી અંત સુધી એક સવાલ ગુચવેલો રાખ્યો છે મુંજાલ, કાક, ત્રિભુવનપાળ અને જયદેવ સોલંકી વચ્ચે ગુજરાતનો નાથ કોણ ?

કથામા જયદેવ સોલંકી જ્યારે ૧૭-૧૮ વર્ષનો છે (૧૧૫૪ આસપાસ). પાટણ પર અવંતિ ચઢાઇ લઇ આવે છે, બાળ રાજા જયદેવ કેવી રીતે મહામન્ત્રિ મુંજાલ, રાજમાતા મીનળદેવી, મિત્ર-ભત્રીજો-સેનપતિ ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળના વિશ્વાસુ મિત્ર-સલાહકાર કાક ની મહાનતા વચ્ચે ખરો રાજવી બને છે.
કાક જયદેવ, ત્રિભુવનપાળ, વીશળદેવ, રા'ખેંગાર અને કિર્તિદેવ વગેરેનો વિશ્વાસુ મિત્ર બને છે. છતા પણ મુંજાલ અને રાજમાતા મીનળદેવીનો વિશ્વાસ મેળવી શકે છે. કાક અને મંજરીની વચ્ચે વીધ્વાનતાનો ફરક છે તે વીકટ સંજોગોમા પ્રેમમા પરીણમે છે. અનઇચ્છા છતા મંજરી કાકને પતિ તરીકે સ્વીકારે છે અને ગર્વ અનુભવે છે.

ખલનાયક ઉદા મહેતા કેવી કેવી રીતે કાક અને મુંજાલના હાથે માત ખાય છે, તે ક. મા. મુન્શી જેવી સરળ અને સુંદર ભાષામા કદાચ જ કોઇ વર્ણવી શકે.

૨૧મી સદીના ઇન્ટરનેટીયા યુગમા ગુજરાતની મહાનતાને ભુલી ગયેલાઓ એ ખાસ વાચવા લાયક.

અને છેલ્લે.....
કાક અને મંજરી પહેલા વાત કર છે પછી ઝગડે છે અને પછી પ્રેમ કરે છે.મારી મંજરીએ પહેલા મને પ્રેમ કર્યો, પછી મારી સાથે ઝગડો કર્યો અને હવે મારી સાથે વાત પણ નથી કરતી.

1 comment:

RahuB said...

#atma: very busy day, but feel 2 check ur site & ur reviews r worth reading ,keep it up!