Tuesday, August 25, 2009

જેવીતેવી વાત નથી....

માણસ જેવો માણસ ક્ષણ માં ધુમાડો થઈ જાય
એ કોઈ જેવી તેવી વાત નથી,
ઘર ઘર રમતા, પળ માં કોઈ પુર્વજ થઈ પુજાય
એ કોઈ જેવી તેવી વાત નથી

વિતી પળ ના પડછાયા ને પકડી રાખે પ્રેમ
કાચ નદીના પેલે કાંઠે કંકુ કંકણ પ્રીત
તારીખીયા ને કોઈ પાને સુરજ અટકી જાય
એ કોઈ જેવીતેવી વાત નથી
-: સંદિપ ભાટીયા

Sunday, August 2, 2009

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડયાં
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અને નડયાં.
કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ!
કૂવો ભરીને અમે એટલું રડયાં
કે ખોબો ભરીને અમે મોહી પડયાં.

Sunday, July 26, 2009

પાલવ અડક્યાનો મને વ્હેમ છે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને
છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને
પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ,
કહો કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ,
થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો,
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે
હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?
-: હરિન્દ્ર દવે

Friday, July 24, 2009

મારું સ્વમાન

લાગે છે દુર્દશામાં તમન્ના ગરજ બને.
ત્યારે સ્વભાવ મારો બધાની સમજ બને
જેઓ નિહાળે મારા મુકદ્દરની રાતને,
મારું સ્વમાન એમને માટે સુરજ બને.

Friday, July 10, 2009

માફી

“માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટાં છો અને સામેવાળો સાચો છે,
પણ તેનો અર્થ એ છે તમે સંબંધની કિંમત તમારા અહમ કરતાં વધુ સમજો છો…"

I am still sorry for anything that happened.......
હાલમાં વાંચેલ ગુણવંત આચાર્યની નવલકથા સરફરોશમાંથી.......

આતો મરદના જીવનમાં સ્ત્રી એક સદંતર નિરુપયોગી વસ્તુ છે, સ્ત્રી પોતે પણ જાણે છે કે એ નિરુપયોગી છે. એટલે એ પોતાની સલામતીને ખાતર જ પોતાની ઉપયોગિતા ઊભી કરે છે.
વગડાના કોઈ અડીખમ ઝાડને કોઈ વેલ વીંટળાઈ વળી હોય એમ એ વીંટળાઈ રહે છે: અને એ ઘરખુપણું, વહેવારિકપણું, સંસાર, ગ્રુહસ્થીપણું, ખાનદાની, કુળ એવાં એવાં નામો આપીને પોતાની નિરુપયોગીતા ઉપર રંગરોગાન ચડાવે છે. સ્ત્રી જો ખરેખર નિરુપયોગી ન હોય તો લગ્ન વ્યવસ્થામાં આટલી ચીકાશ ને દીર્ઘસૂત્રીપણું ને અગ્નિની સાખની વાતો જ ઊભી ન થાત. બે સમોવડિયા પુરુષો મિત્ર બને છે, એકબીજાના સુખદુ:ખમાં ભાગ લે છે, સાજેમાંદે એકબીજાની સેવા કરે છે. ને ભીડ પડ્યે એકબીજા માટે માથાં ઉતારી આપે છે. ત્યારેય કોઈ શાસ્ત્રની વિધિ કે કોઈ અગ્નિની સાખ કે કોઈ ચારફેરા કે સાત પગલા ભરીને પ્રતિગ્ના લેતુ નથી, કેમ કે એકબીજાની મૈત્રી એકબીજાને ઉપકારક છે. સ્ત્રીનો સાથ મેળવવા માટે અગ્નિની સાખ રાખે છે.

નવો દિવસ, નવી સવાર

હાલમાં મારા જીવનના સૌથી મહત્વના સમાચાર મળ્યા. સમજણ નથી પડતી આમા ખુશ થવુ કે રોવું.

હા એટલુ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં મે જે ભોગવ્યુ એન કારણે હવે મને એનો કોઇ હરખ શોક નહી રહે.

જીવનનુ એક અધ્યાય પુરુ થયુ.

નવો દિવસ, નવી સવાર
નવુ જીવન ......