-: ઉર્વીશ કોઠારી
૧૯૪૮માં લખનૌની એક સભામાં સરદારે કહ્યુ, "મને મુસ્લિમોનો કટ્ટર શત્રુ ચીતરવામાં આવે છે. પણા હુ તેમનો સાચો મિત્ર છુ. મને ગોળગોળ વાત કરવાનું ફાવતું નથી. હુ સીધી વાત કરવામાં માનું છું. હું તમને નિખલસતાથી કહેવા માગું છુ કે એ લોકો ભારત પ્રત્યે વફાદારી જાહેર કરે એટલુ પૂરતું નથી. હું તેમને પૂછું છું કે પાકીસ્તાને ભારત પર કરેલા આક્રમણને શા માટે એક અવાજે વખોડી કાઢ્યુ નથીં? ભારત પર થતા કોઇ પણ આક્રમણને વખોડી કાઢવાની ભારતના મુસ્લિમોની ફરજ નથી? જે મુસ્લિમો બેવફા છે, તેમને પાકીસ્તાન જવું પડશે. જે લોકો હજુ બે ધોડે સવારી કરી રહ્યા છે, તેમણે હિંદુસ્તાન છોડવું જ રહ્યું."