જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?
શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા
-: જયેન્દ્ર મહેતા
Showing posts with label જયેન્દ્ર મહેતા. Show all posts
Showing posts with label જયેન્દ્ર મહેતા. Show all posts
Monday, May 3, 2010
Subscribe to:
Posts (Atom)