Showing posts with label જયેન્દ્ર મહેતા. Show all posts
Showing posts with label જયેન્દ્ર મહેતા. Show all posts

Monday, May 3, 2010

જેમના નયનો મહીં અંધાર છે

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા
-: જયેન્દ્ર મહેતા