અંધારાની દિવાલ પાછળ, લીલાં કુંજર ઝાડ હશે,
હવા હશે ત્યાં ધીમી ધીમી, અંદર સિંહની ત્રાડ હશે.
પ્રાણીની કીકીમાં પેઠો સૂરજનો આકાર હશે,
તારાનો ટમકાર બિચારો આભ મહીં લાચાર હશે.
બધી દિશાનાં દરવાજાને હશે લટકતું તાળું,
કૂંચીના કાણામાં ત્યારે હશે ઝબકતું અજવાળું.
બધું હશે પણ અંધારાનો ખાટો એમાં સ્વાદ હશે,
ઉગવાનું છે વ્હેલું એવું સૂરજને પણ યાદ હશે.
-: મણિલાલ દેસાઈ
Showing posts with label મણિલાલ દેસાઈ. Show all posts
Showing posts with label મણિલાલ દેસાઈ. Show all posts
Friday, May 21, 2010
Subscribe to:
Posts (Atom)