Showing posts with label Book Review. Show all posts
Showing posts with label Book Review. Show all posts

Saturday, July 21, 2007

વેવિશાળ Book review

આજે એક પુસ્તકનો રિવ્યુ.

આમ તો મારી કોઇ ઓકાદ નથી "ઝવેરચંદ મેઘાણી"ની નવલકથા "વેવિશાળ" વિષે કાઈ લખી શકુ, પણ વેવિશાળની વાર્તા મારા જીવનની કથા સાથે ઘણી મળતી આવે છે.

વાત છે ગામમાં રહેતા સુખલાલની અને સુશીલાની. સુખલાલની સગાઈ શહેરમા રહેતી સુશીલા સાથે થયેલ છે. સુખલાલના જીવનમાં સુખ નથી. સુશીલા સુશીલ છે એને સુખલાલ સાથે સંબંધનો એને વાંધો નથી પણ બાપુજી અને મોટા બાપુજીની દખલઅંદાજી ના કારણે પોતાના મનની વાત પણ નથી કરી શકતી. સુખલાલ મરતી માંના એક બોલ પર કે "બેટા, તારો સંબંધ ટુટે તો આમારુ જીવવુ ઝેર થઈ જાય. આખરે તો આ તારા જીવનનો પ્રશ્ન છે. જા શહેરજા અને ગમે તે રીતે વહુ ને લઈ આવ."

સુખલાલ શહેર જઈને શેઠ સસરાની ગુલામી કરે છે. કારણકે તેને માંને આપેલા વચનની ચિંતા છે. દીવસો સુધી પોતાના જીવનસાથીનો ચેહરો નથી જોઈ શક્તો બિમારીમાં પણ કોઈ તેનો હાલ પુછવા નથી આવતુ. આખરે ચાર દીવસ પછી જ્યારે તેના પિતા જ્યારે આવે છે ત્યારે તે હોસ્પિટલની બહાર આવે છે.
બિચારો બાપ પણ પુત્રના દીલ આગળ લાચાર છે. જે વ્યક્તી એને બેઈજ્જત કરી ચુક્યો છે તેના ઘરે જમવા બેસવુ પડે છે.

સુશીલાને પણ પોતાના ભાવી ભરથાર માટે પુરેપુરી લાગણી છે પણ બાપની હીટલર શાહી આગળ કશું ચાલતુ નથી.

મોટા બાપુ અને માં એ તો એને બીજે ઠેકાણે થાળે પાડવાનુ નક્કી કરી નાખ્યુ છે. સુખલાલ જાણે છે પણ સુશીલાનુ મન જાણ્યા વગર આગળ વધવા નથી માંગતો. સુશીલા સુખલાલને પોતાનો ભરથાર માની ચુકી છે અને એને એક ભવમાં બીજો ભવ નથી કરવો.

છેલ્લે કેવી રીતે સુશીલા પોતાના બાપનુ ઘર છોડીને સુખલાલની જાણ વગર સુખલાલના ઘરમાં - પોતાના ઘરમાં પહોચે છે અને સુખલાલ કેવી રીતે તેની ખાતર નાત સામે ઉભો રહી જાય છે તે તો "ઝવેરચંદ મેઘાણી"ના શબ્દોમાં જ વાંચવાની મઝા આવે

જો જીવનમાં પ્રેમને મહત્વ આપતા હો તો આ નવલકથા વાચવી જરુરી છે. પ્રેમ કોને કહેવાય અને પ્રેમનો સંબંધ કેવો હોય તે ખબર પડશે

Monday, May 7, 2007

ગુજરાતનો નાથ Book review.......

ગુજરાતનો નાથ

ઇતિહાસની આસપાસ વણાયેલ એક નવલકથા છે. પહેલુ પ્રકાશન ૧૯૧૭મા. (મારા દાદા પણ કદાચ નહોતા જન્મયા )

મંજરી અને કિર્તિદેવ બે કલ્પનિક પત્રો છે. બાકી મુંજાલ-મીનળ, કાક, જયદેવ સોલંકી, રા'ખેંગાર- રાણક, ત્રિભુવનપાળ - કાશ્મીરા વગેરે ઐતિહાસિક પાત્રોની, ઐતિહાસિક પ્રસંગની વાર્તા છે.

પહેલુ પાનુ વાંચો પછી છેલ્લા પાના સુધી વાંચયા પહેલા ચોપડી નીચે મુકવાની ઇચ્છા નહી થાય.
કથાકારે શરુથી અંત સુધી એક સવાલ ગુચવેલો રાખ્યો છે મુંજાલ, કાક, ત્રિભુવનપાળ અને જયદેવ સોલંકી વચ્ચે ગુજરાતનો નાથ કોણ ?

કથામા જયદેવ સોલંકી જ્યારે ૧૭-૧૮ વર્ષનો છે (૧૧૫૪ આસપાસ). પાટણ પર અવંતિ ચઢાઇ લઇ આવે છે, બાળ રાજા જયદેવ કેવી રીતે મહામન્ત્રિ મુંજાલ, રાજમાતા મીનળદેવી, મિત્ર-ભત્રીજો-સેનપતિ ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળના વિશ્વાસુ મિત્ર-સલાહકાર કાક ની મહાનતા વચ્ચે ખરો રાજવી બને છે.
કાક જયદેવ, ત્રિભુવનપાળ, વીશળદેવ, રા'ખેંગાર અને કિર્તિદેવ વગેરેનો વિશ્વાસુ મિત્ર બને છે. છતા પણ મુંજાલ અને રાજમાતા મીનળદેવીનો વિશ્વાસ મેળવી શકે છે. કાક અને મંજરીની વચ્ચે વીધ્વાનતાનો ફરક છે તે વીકટ સંજોગોમા પ્રેમમા પરીણમે છે. અનઇચ્છા છતા મંજરી કાકને પતિ તરીકે સ્વીકારે છે અને ગર્વ અનુભવે છે.

ખલનાયક ઉદા મહેતા કેવી કેવી રીતે કાક અને મુંજાલના હાથે માત ખાય છે, તે ક. મા. મુન્શી જેવી સરળ અને સુંદર ભાષામા કદાચ જ કોઇ વર્ણવી શકે.

૨૧મી સદીના ઇન્ટરનેટીયા યુગમા ગુજરાતની મહાનતાને ભુલી ગયેલાઓ એ ખાસ વાચવા લાયક.

અને છેલ્લે.....
કાક અને મંજરી પહેલા વાત કર છે પછી ઝગડે છે અને પછી પ્રેમ કરે છે.મારી મંજરીએ પહેલા મને પ્રેમ કર્યો, પછી મારી સાથે ઝગડો કર્યો અને હવે મારી સાથે વાત પણ નથી કરતી.