Saturday, July 21, 2007

વેવિશાળ Book review

આજે એક પુસ્તકનો રિવ્યુ.

આમ તો મારી કોઇ ઓકાદ નથી "ઝવેરચંદ મેઘાણી"ની નવલકથા "વેવિશાળ" વિષે કાઈ લખી શકુ, પણ વેવિશાળની વાર્તા મારા જીવનની કથા સાથે ઘણી મળતી આવે છે.

વાત છે ગામમાં રહેતા સુખલાલની અને સુશીલાની. સુખલાલની સગાઈ શહેરમા રહેતી સુશીલા સાથે થયેલ છે. સુખલાલના જીવનમાં સુખ નથી. સુશીલા સુશીલ છે એને સુખલાલ સાથે સંબંધનો એને વાંધો નથી પણ બાપુજી અને મોટા બાપુજીની દખલઅંદાજી ના કારણે પોતાના મનની વાત પણ નથી કરી શકતી. સુખલાલ મરતી માંના એક બોલ પર કે "બેટા, તારો સંબંધ ટુટે તો આમારુ જીવવુ ઝેર થઈ જાય. આખરે તો આ તારા જીવનનો પ્રશ્ન છે. જા શહેરજા અને ગમે તે રીતે વહુ ને લઈ આવ."

સુખલાલ શહેર જઈને શેઠ સસરાની ગુલામી કરે છે. કારણકે તેને માંને આપેલા વચનની ચિંતા છે. દીવસો સુધી પોતાના જીવનસાથીનો ચેહરો નથી જોઈ શક્તો બિમારીમાં પણ કોઈ તેનો હાલ પુછવા નથી આવતુ. આખરે ચાર દીવસ પછી જ્યારે તેના પિતા જ્યારે આવે છે ત્યારે તે હોસ્પિટલની બહાર આવે છે.
બિચારો બાપ પણ પુત્રના દીલ આગળ લાચાર છે. જે વ્યક્તી એને બેઈજ્જત કરી ચુક્યો છે તેના ઘરે જમવા બેસવુ પડે છે.

સુશીલાને પણ પોતાના ભાવી ભરથાર માટે પુરેપુરી લાગણી છે પણ બાપની હીટલર શાહી આગળ કશું ચાલતુ નથી.

મોટા બાપુ અને માં એ તો એને બીજે ઠેકાણે થાળે પાડવાનુ નક્કી કરી નાખ્યુ છે. સુખલાલ જાણે છે પણ સુશીલાનુ મન જાણ્યા વગર આગળ વધવા નથી માંગતો. સુશીલા સુખલાલને પોતાનો ભરથાર માની ચુકી છે અને એને એક ભવમાં બીજો ભવ નથી કરવો.

છેલ્લે કેવી રીતે સુશીલા પોતાના બાપનુ ઘર છોડીને સુખલાલની જાણ વગર સુખલાલના ઘરમાં - પોતાના ઘરમાં પહોચે છે અને સુખલાલ કેવી રીતે તેની ખાતર નાત સામે ઉભો રહી જાય છે તે તો "ઝવેરચંદ મેઘાણી"ના શબ્દોમાં જ વાંચવાની મઝા આવે

જો જીવનમાં પ્રેમને મહત્વ આપતા હો તો આ નવલકથા વાચવી જરુરી છે. પ્રેમ કોને કહેવાય અને પ્રેમનો સંબંધ કેવો હોય તે ખબર પડશે

1 comment:

Anonymous said...

you have a wonderful site!