Saturday, July 7, 2007

દરરોજ નીકળે છે તમન્નાના જનાઝાઓ

કહ્યુ કોણે વિપદના દિવસો વીતી ગયા, યારો!

હજી પણ પુષ્પશા ચહેરા ઉપર અંકિત છે ચિંતાઓ
હજી પણ વેદનાઓનિ જલે ચોમેર જ્વાલાઓ

છવાઈ છે ઉદસીની ઘટાઓ જિંદગી ઉપર
અને દરરોજ નીકળે છે તમન્નાના જનાઝાઓ

ગુલાબોની જવાનીનુ હજી લિલામ થાયે છે.
અને મગરૂર થૈ મ્હાલે છે રંગો લૂટનારાઓ

હજી પણ પુષ્પના પરદા મહીં અંગાર બાકી છે.
દયાના મ્યાનમાં ખુટલ ખૂની તલ્વાર બાકી છે.
-: દીપક બારડોલીકર

No comments: