Friday, December 14, 2007

ચમન તુજને સુમન

ઘણા સમયથી કૈલાસ પંડીતની આ ગઝલ રજુ કરવાનુ વીચારતો હતો આજે આખરે મોકો મળી ગયો.

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે.
પ્રથમ એ પ્યાર કરશેને પછી ઝખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનીયાના લઈને હુ ઘડાયો તો
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો તો એવા આશયથી
હશે જો લાગણી એના દીલે પાછો ભરી જાશે.

ફના થાવાને આવ્યો તો પરંતુ ખબર નહોતી
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.

મરણને બાદ પણ કૈલાસને બસ રાખજો એમ જ
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
-: કૈલાસ પંડિત

No comments: